
પોલીસ તપાસ માટેની કાયૅરીતિ
(૧) મળેલી ખબર ઉપરથી અથવા બીજી રીતે કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને પોતે કલમ ૧૫૬ હેઠળ પોલીસ તપાસ કરવાની સતા ધરાવતો હોય તેવો ગુનો થયાનો સકારણ શક આવે તો પોલીસ રિપોટૅ ઉપરથી તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટને તેણે તે અંગેનો રિપોટૅ તરત મોકલવો જોઇશે અને તે કેસની હકીકતો અને સંજોગોની પોલીસ તપાસ કરવા અને જરૂરી જણાય તો ગુનેગારને શોધી કાઢીને પકડવા પગલા માટે તે જગ્યાએ જાતે જવુ જોઇશે અથવા રાજય સરકાર આ માટે સામાન્ય કે ખાસ હુકમથી ઠરાવે તેથી નીચેના દરજજાના ન હોય તેવા પોતાની સતા નીચેના કોઇ અધિકારીને મોકલવા જોઇશે પરંતુ
(ક) એવો કોઇ ગુનો થયાની ખબર કોઇ વ્યકિત વિરૂધ્ધ તેન નામ દઇને આપવામાં આવે ત્યારે અને તે કેસ ગંભીર પ્રકારનો ન હોય ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ સ્થળ ઉપર પોલીસ તપાસ કરવા માટે જાતે જવાની કે પોતાની સતા નીચેના અધિકારીને ત્યાં મોકલવાની જરૂર નથી
(ખ) પોલીસ તપાસ શરૂ કરવા માટે પુરતુ કારણ નથી તેવા ----- પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને જણાય તો તે કેસની પોલીસ તપાસ તે કરશે નહીં
વધુમાં એવી જોગવાઇ કરવામાં આવે છે કે બળાત્કારના અપરાધ સબંધમાં ભોગ બનનાર વ્યકિતનુ નિવેદન એના ઘેર અથવા તેની પસંગીના સ્થળે લેવાશે અને શકય હશે ત્યાં ભોગ બનનારના મા-બાપની અથવા વાલીની અથવા નજીકના સગાની હાજરીમાં અથવા તે વિસતારના સામાજીક કાયૅકરની હાજરીમાં મહિલા અધિકારીથી લેવાશે
(૨) પેટા કલમ (૧)ના પરંતુકના ખંડો(ક) અને (ખ) માં જણાવેલ દરેક કેસમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ તે પેટા કલમની જોગવાઇઓને પુરેપુરો અમલ ન કરવામાં પોતાના કારણો પોતાના રિપોટૅમાં જણાવવા જોઇશે અને સદરહુ પરંતુકના ખંડ (ખ)માં જણાવેલા કેસમાં તે અધિકારી તે કેસની પોલીસ તપાસ કરશે નહિ. અથવા કરાવશે નહીં એ હકીકત કોઇ ખબર આપનાર હોય તો તેને રાજય સરકાર ઠરાવે તે રીતે તરત જણાવવી જોઇશે
Copyright©2023 - HelpLaw